ગુજરાત અગ્નિવીર ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @joinindianarmy.nic.in - MY OJAS UPDATE

ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

ગુજરાત અગ્નિવીર ભરતી 2022, ઓનલાઈન અરજી કરો @joinindianarmy.nic.in

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 : ઇન્ડિયન આર્મી દ્વારા એઆરઓ અમદાવાદ / જામનગર ભરતી માટે અગ્નિવીર ગુજરાત ભરતી 2022 નોટીફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. અગ્નિવીર ભરતી 2022 માટે રજીસ્ટ્રેશન 5 ઓગસ્ટ 2022 થી 3 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન મારફતે કરવાનું રહેશે. અગ્નિવીર અમદાવાદ ભરતી 2022 રેલીનું આયોજન તારીખ 15 ઓક્ટોબર 2022 થી 8 નવેમ્બર 2022ના રોજ અને અગ્નિવીર જામનગર ભરતી 2022 રેલીનું આયોજન તારીખ 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022 સુધી કરવામાં આવી છે.

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022

પોસ્ટ ટાઈટલઅગ્નિવીર આર્મી ભરતી મેળો 2022
પોસ્ટ નામગુજરાત અગ્નિવીર ભરતી 2022
સ્થળઅમદાવાદ / જામનગર – ગુજરાત
ઓર્ગેનાઈઝેશનઇન્ડિયન આર્મી
અરજી શરુ તારીખ05 ઓગસ્ટ 2022
અરજી છેલ્લી તારીખ03 સપ્ટેમ્બર 2022
અમદાવાદ રેલી તારીખ15 ઓક્ટોબર 2022 થી 08 નવેમ્બર 2022
જામનગર રેલી તારીખ20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022
સત્તાવાર વેબ સાઈટhttps://joinindianarmy.nic.in/
અરજી પ્રકારઓનલાઈન

અગ્નિવીર અમદાવાદ ભરતી 2022 / અગ્નિવીર જામનગર ભરતી 2022

ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2022 માટે તાલીમ સહિતનો સમયગાળો 4 વર્ષની સેવા સમયગાળા માટે આર્મી એક્ટ 1950 હેઠળ ઉમેદવારની નોંધણી કરવામાં આવશે. અગ્નિવીર આર્મી એક્ટ 1950ને આધીન રહેશે અને જમીન, સમુદ્ર અને હવાગમે તે ક્ષેત્રે જવા માટે જવાબદાર રહેશે. અગ્નિવીર યોજના હેઠળ જોડાયેલ પેન્શન કે અન્ય લાભ મળવાપાત્ર રહેશે નહી.

ચાર વર્ષની મુદ્દત પૂરી થયા પછી અગ્નિવીરને ફરી પસંદગીનો કોઈ અધિકાર રહેશે નહી. અગ્નિવીરને 48 લાખનો વીમો મળશે. ચાર વર્ષની સર્વિસમાં ફરજ બજાવતા જો અગ્નિવીર શહીદ થાય તો પરિવારને રૂ. 48 લાખ ઉપરાંત સેવાનિધિ પેકેજ રૂ. 11 લાખ અપાશે. બાકી રહેલી નોકરીનો પૂરો પગાર પરિવારને આપશે. આમ પરિવારને કુલ એક કરોડ જેટલી રકમ અપાશે.

IBPS બેંક ભરતી 2022 કુલ 6432 જગ્યાઓ

અગ્નિવીર ભરતી 2022 માટે પાત્રતા

પોસ્ટ નામશૈક્ષણિક લાયકાત
અગ્નિવીર (જનરલ ડ્યુટી) (ઓલ આર્મ)ધોરણ 10 પાસ 45% સાથે અને દરેક વિષયમાં 33% માર્ક્સ જરૂરી
અગ્નિવીર (ટેકનીકલ) (ઓલ આર્મ)ધોરણ 10 + 2 પાસ (વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને અંગ્રેજી વિષય સાથે 50% અને દરેક વિષયમાં 40% માર્ક્સ જરૂરી)
અગ્નિવીર ક્લાર્ક / સ્ટોર કીપર ટેકનીકલ (ઓલ આર્મ)ધોરણ 10 + 2 પાસ (આર્ટસ, કોમર્સ અને સાયન્સ) સાથે 60% માર્ક્સ અને દરેક વિષયમાં 50% માર્ક્સ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 10 પાસ10 પાસ
અગ્નિવીર ટ્રેડમેન (ઓલ આર્મ) 8પાસ8 પાસ

નોંધ : શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી પછી જ અરજી કરવી

અગ્નિવીર ભરતી ગુજરાત 2022 વયમર્યાદા

  • વયમર્યાદા 17.5 થી 23 વર્ષ

GISFS સિક્યુરીટી ગાર્ડ ભરતી 2022

અમદાવાદ અગ્નિવીર ભરતી 2022 પગાર / જામનગર અગ્નિવીર ભરતી 2022 પગાર

વર્ષકસ્ટમાઈઝ પેકેજ (મહિનાનું)હાથમાં (70%)કોન્સ્ટ્રીબ્યુશન
અગ્નિવીર કોર્પસ ફંડ
કોન્સ્ટ્રીબ્યુશન ટુ કોર્પસ
ફંડ બાય ગવર્ન્મેન્ટ
પ્રથમ વર્ષે300002100090009000
બીજું વર્ષ330002310099009900
ત્રીજું વર્ષ36500255801095010950
ચોથું વર્ષ40000280001200012000

અગ્નિવીર ગુજરાત રેલી સ્થળ

અગ્નિવીર અમદાવાદ રેલી સ્થળ / ARO Ahmedabad

અગ્નિવીર અમદાવાદ રેલી ગુજરાત યુનિવર્સીટી સ્પોટ કોમ્પ્લેક્ષ એરેના અમદાવાદ ખાતે તારીખ 15 ઓક્ટોબર 2022 થી 05 નવેમ્બર 2022 સુધી આયોજન કરવામાં આવશે.

અગ્નિવીર જામનગર રેલી સ્થળ / ARO Jamnagar

અગ્નિવીર જામનગર રેલી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ગ્રાઉન્ડ રાજકોટ ખાતે તારીખ 20 ઓક્ટોબર 2022 થી 12 નવેમ્બર 2022 સુધી આયોજન કરવામાં આવશે.

રેલી સમયે સાથે રાખવાના ડોક્યુમેન્ટ

  • કોલ લેટર (એડમીટ કાર્ડ)
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સોગંધનામું
  • શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ
  • ડોમિસાઈલ સર્ટિફિકેટ
  • જાતિ પ્રમાણપત્ર
  • ધર્મ પ્રમાણપત્ર
  • ચારિત્ર્ય પ્રમાણપત્ર (સ્કુલ અને ગામ બંનેમાંથી)
  • લગ્ન નહી થયેલ તેવું પ્રમાણપત્ર
  • NCC પ્રમાણપત્ર
  • સપોર્ટ પ્રમાણપત્ર
  • અન્ય જરૂરી ડોક્યુમેન્ટ લીસ્ટ માટે ઓફિશિયલ નોટીફીકેશન વાંચો

પસંદગી પ્રક્રિયા કઈ છે?

  • અગ્નિવીર માટે ઉમેદવારોની પસંદગી ભરતી બોર્ડના નિયમ પ્રમાણે રહેશે

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ. ->joinindianarmy.nic.in
  • રજીસ્ટ્રેશન બટન પર ક્લિક કરો.
  • આપેલ જરૂરી વિગતો ભરીને સબમિટ કરો.

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 છેલ્લી તારીખ?

  • છેલ્લી તારીખ : 03 સપ્ટેમ્બર 2022
અમદાવાદ રેલી ઓફિશિયલ નોટીફિકેશનઅહીં ક્લિક કરો
જામનગર રેલી ઓફિશિયલ નોટીફિકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવાઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓઅહીં ક્લિક કરો
અગ્નિવીર ગુજરાત ભરતી 2022
અગ્નિવીર ગુજરાત ભરતી 2022

અગ્નિવીર ભરતી ગુજરાત 2022 વયમર્યાદા કેટલી છે?

વયમર્યાદા 17.5 થી 23 વર્ષ

અગ્નિવીર ભરતી 2022 પગાર કેટલો છે

30000થી પગાર શરુ થશે

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 અરજી કઈ રીતે કરશો?

સત્તાવાર વેબ સાઈટ joinindianarmy.nic.in પર જઈને અરજી કરી શકશો

ગુજરાત અગ્નિવીર ભરતી 2022 છેલ્લી તારીખ?

છેલ્લી તારીખ : 03 સપ્ટેમ્બર 2022

આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ