– મૂળ રાષ્ટ્રગાન 5 પદમાં લખાયેલું છે પરંતુ તેનું પ્રથમ પદ રાષ્ટ્રગાન તરીકે સ્વીકારવામાં આવ્યું છે. – રાષ્ટ્રગાનના ગાયનની અવધી 52 સેકન્ડની છે. ઘણીવાર સંક્ષિપ્તરૂપમાં પ્રથમ અને છેલ્લી પંક્તિમાં ગાવામાં આવે છે જેની અવધી 20 સેકન્ડની છે. – બંધારણસભા દ્વારા “જન ગણ મન…” રાષ્ટ્રીયગાન તરીકે 24 જાન્યુઆરી 1950ના રોજ સ્વીકારવામાં આવ્યું. – સૌપ્રથમ વખત “જન ગણ મન…” રાષ્ટ્રગાનનું ગાન રવિન્દ્રનાથ ટાગોરની ભત્રીજી દ્વારા “ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ”ના કોલકત્તા ખાતેના ઈ.સ. 1911ના 27માં અધિવેશનમાં ગવાયું હતું.