PM યશસ્વી યોજના 2022 : ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા PM યશસ્વી યોજના હેઠળ વર્ષ 2022-23ની પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવી છે. PM યશસ્વી સ્કોલરશીપ યોજના હેઠળ લાખો રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવે છે. PM યશસ્વી યોજના 78 શહેરોમાં 11 સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવશે જેનો લાભ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થશે.
PM યશસ્વી યોજના 2022
પોસ્ટ ટાઈટલ | PM યશસ્વી યોજના |
પોસ્ટ નામ | PM યશસ્વી સ્કોલરશીપ યોજના |
પોસ્ટ પ્રકાર | યોજના |
હેઠળ | ભારત સરકાર |
વિભાગ | સામાજિક ન્યાય અને અધિકારીતા |
પરીક્ષા તારીખ | 11-09-2022 (રવિવાર) |
સત્તાવાર વેબ સાઈટ | https://socialjustice.gov.in https://www.nta.ac.in https://yet.nta.ac.in |
અરજી પ્રકાર | ઓનલાઈન |
PM યશસ્વી યોજના પૂરું નામ
- PM યશસ્વી યોજના પૂરું નામ PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI) છે.
પાનકાર્ડ મેળવો ફક્ત 10 જ મિનિટમાં
PM યશસ્વી યોજના 2022નો ઉદ્દેશ્ય
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ યોજના મુખ્ય ઉદ્દેશ અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચે મૂકવાને બદલે આગળ અભ્યાસ શરૂ રાખે તે માટે જરૂરી વસ્તુઓ મળી રહે. આ યોજના અંતર્ગત દર વર્ષે 15000 વિદ્યાર્થીઓને 383.65 કરોડની સહાય કરવામાં આવશે.
PM યશસ્વી યોજનાથી લાભ
ભારત સરકાર હેઠળના વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલ આ યોજનાનો સિદ્ધો લાભ પછાત વર્ગોના વિદ્યાર્થીઓને થશે. જે લોકો આર્થિક પરિસ્થિતીના લીધે પોતાનો અભ્યાસ અધ્ધવચ્ચે જ છોડી ડે છે તેવા લોકો માટે આ યોજના આશીર્વાદ રૂપ નીવડશે કારણ કે આ યોજના થકી ગરીબ વિદ્યાર્થીઓને સહાય મળશે. PM યશસ્વી યોજના પારદર્શક છે કારણ કે કોમ્પ્યુટર બેઝ પરીક્ષા આપવાની રહેશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75000 રૂપિયા મળવા પાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવા પાત્ર છે.
આધાર કાર્ડ સુધારો ઘરબેઠા 2 જ મિનિટમાં
PM યશસ્વી સ્કોલરશીપ યોજના માટે પાત્રતા
- અરજદાર ભારતીય નાગરિક જોવો જોઈએ.
- અરજદાર અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT) જાતિના હોવા જોઈએ.
- વિદ્યાર્થી લીસ્ટ આપેલ તેમાંથી સ્કુલમાં અભ્યાસ કરતો હોવો જોઈએ
- 2021-22માં ધોરણ 8 અથવા ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
- વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
- ધોરણ 9ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2006 થી 31-03-2010 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
- ધોરણ 11ની પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારનો જન્મ 01-04-2004 થી 31-03-2008 (બંને દિવસો સહીત)ની વચ્ચે થયેલો હોવો જોઈએ
- છોકરા-છોકરી બંને અરજી કરી શકે છે.
PM YASASVI યોજના આવક મર્યાદા
- આ યોજના માટે માતા-પિતા/વાલીની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખની હોવી જોઈએ.
કેટલી સહાય મળવાપાત્ર
- ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.
PM યશસ્વી યોજના 2022 પરીક્ષા તારીખ
- PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)ના રોજ લેવાશે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) હશે.
ગુજરાત બોર્ડનું 2022-23 કેલેન્ડર જાહેર
PM યશસ્વી યોજના ડોક્યુમેન્ટ લીસ્ટ
- અભ્યાસનું સર્ટીફીકેટ
- આધારકાર્ડ
- બેંક ખાતું (આધાર કાર્ડ સાથે જોડાયેલ)
- આવકનું પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- મોબાઈલ નંબર
- ઈ-મેઈલ એડ્રેસ
PM યશસ્વી અરજી કઈ રીતે કરશો?
- NTAની સત્તાવાર વેબસાઈટ www.yet.nta.ac.in પર જાઓ
- PM યશસ્વી સ્કોર્શીપ યોજના માટે રજીસ્ટ્રેશન કરો અને લોગીન કરો
- માંગેલ તમામ માહિતી ભરો અને સબમિટ કરો
- ફોર્મની PDF કોપી ડાઉનલોડ કરી લ્યો
PM યશસ્વી યોજના ઉપયોગી તારીખો
ફોર્મ ભરવાના શરુ તારીખ | 27-07-2022 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26-08-2022 (05:00 PM) |
એડમિટ કાર્ડ (કોલ લેટર) જાહેર તારીખ | 05-09-2022 |
PM યશસ્વી યોજના પરીક્ષા તારીખ | 11-09-2022 |
પરીક્ષા પ્રકાર | કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) |
પરીક્ષા સમય | 02 : 00 PM થી 05 : 00 PM |
પરીક્ષાનો સમયગાળો | 3 કલાક |
ઓફિશિયલ નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જાઓ | અહીં ક્લિક કરો |
PM યશસ્વી પરીક્ષા પદ્ધતિ
- MCQ પ્રકારના પ્રશ્ન.
- સાચા જવાબના માર્ક્સ મળે છે.
- નેગેટીવ માર્ક્સ નહી ગણાઈ
- પરીક્ષાનો સમય 3 કલાકનો રહેશે
વિભાગ | વિષય | પ્રશ્ન | સાચા પ્રશ્નના માર્ક્સ | કુલ માર્ક્સ |
A | ગણિત (Mathematics) | 30 | 4 | 120 |
B | વિજ્ઞાન (Science) | 20 | 4 | 80 |
C | સામાજિક વિજ્ઞાન (Social Science) | 25 | 4 | 100 |
D | જનરલ નોલેજ (General Awareness/Knowledge) | 25 | 4 | 100 |
કુલ | 100 | 4 |
PM યશસ્વી યોજના પૂરું નામ?
PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (PM YASASVI)
PM યશસ્વી યોજના કેટલી સહાય મળવાપાત્ર?
ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓને વાર્ષિક 75,000 રૂપિયા મળવાપાત્ર છે અને ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓને 1,25,000 રૂપિયા મળવાપાત્ર છે.
PM યશસ્વી શિષ્યવૃત્તિ યોજના 2022 પરીક્ષા તારીખ કઈ છે
PM યશસ્વી સ્કોલરશીપ યોજનાની પરીક્ષા તારીખ 11-09-2022 (રવિવાર)ના રોજ લેવાશે જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ (CBT) હશે.
PM યશસ્વી યોજનાનો લાભ કોને મળશે?
અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્તિ જાતિ (DNT)ના ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને થશે
Patel tvisha himanshu bhai
11/9/2022 sunday
10th
Baldaniya Hiren yogesh bhai