21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : હાલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. લાખો યુવાઓ આ ક્વિઝમાં ભાગ લી રહ્યા છે. હાલમાં પ્રથમ સપ્તાહની ક્વિઝ પૂરી થઈ છે અને અત્યારે બીજા સપ્તાહની ક્વિઝ શરું છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરુ છે. ચાલો તો આપડે આ આર્ટીકલમાં 20 જુલાઈના રોજ પૂછાયેલ પ્રશ્નોની ચર્ચા કરીએ.
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
પોસ્ટ નામ | 21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ મંત્ર | જાણશે ગુજરાત, જીતશે ગુજરાત |
G3q ક્વિઝ રજીસ્ટ્રેશન | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઈટ | https://g3q.co.in/ |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 21 જુલાઈ 2022
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝમાં 25 કરોડ સુધીના ઈનામોનું વિતરણ કરવામાં આવશે.
21 જુલાઈ સ્કુલ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક વિષે જાણતા થયા ?
- સરદાર સરોવર પ્રોજેક્ટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે ક્યારે સમર્પિત થયો?
- કઈ એજન્સી કૃષિ સંબંધિત વિષયો, પ્રદર્શન, એક્સપોઝર વિઝીટ અને કૃષિમેળા પર તાલીમ આપે છે ?
- પ્રાકૃતિક તત્ત્વો જેમ કે પ્રાણીઓ, છોડ, બેક્ટેરિયા અને અમુક ખનિજોમાંથી મેળવેલા જંતુનાશકોને શું કહેવામાં આવે છે?
- ગુજરાતના કયા જિલ્લાને ૧૦૦% પ્રાકૃતિક ખેતી આધારિત જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે?
- ‘વાદળી ક્રાંતિ’ શું છે?
- ભારત સરકારના કયા પોર્ટલ પર ધોરણ 9થી લઈને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના તમામ વિદ્યાર્થીઓ માટે વિવિધ ઓનલાઇન અભ્યાસક્રમો વિનામૂલ્યે ઉપલબ્ધ છે?
- નવી શિક્ષણ નીતિ 2020માં કયા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને તેમની માતૃભાષામાં ભણાવવાની દરખાસ્ત છે?
- GCERTનું સૌપ્રથમ વડું મથક ક્યાં હતું ?
- ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની ક્ન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન માટે શું આપવામાં આવે છે ?
- ગુજરાતમાં MBBSમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ- 12 પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે ?
- IIM અમદાવાદમાં સુરક્ષિત પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન પછી કઈ પ્રવેશ પરીક્ષા આપવાની હોય છે??
- શૈક્ષણિક ક્ષેત્રે સેવા આપનાર પ્રથમ ભારતીય ઉપગ્રહ ક્યો છે ?
- અટલ ઈનોવેશન મિશન શાળાના વિદ્યાર્થીઓ માટે AI-આધારિત મોડ્યુલ શરૂ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી છે?
- ગુજરાતમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (NIT)નું નામ શું છે ?
- PGVCLનું પૂરું નામ શું છે ?
- ‘સોલાર રૂફટોપ સ્કીમ’નો સૌથી મહત્ત્વનો ફાયદો શું છે ?
- સોલાર કૂકરમાં કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?
- ભારતમાં પવન-ઊર્જા ઉત્પાદનમાં કયું રાજ્ય બીજા ક્રમે છે ?
- નયારા એનર્જી દ્વારા નિર્મિત પેટ્રોકેમિકલ પ્રોજેક્ટનો શિલાન્યાસ ગુજરાતના કયા જિલ્લામાં થયો ?
- અકોટા સોલાર બ્રિજ પ્રોજેક્ટ થકી ઉત્પાદન થતી વીજળીની વહેંચણી કઈ વીજ કંપની કરે છે ?
- ગુજરાતમાં પ્રથમ પવનઊર્જા પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત થયો ?
- ગુજરાતના ૨૦૨૨-૨૩ બજેટ અંતર્ગત કયાં વાહનોમાં સબસિડીની જાહેરાત કરવામાં આવી છે ?
- વિશ્વ ગ્રામ પ્રોજેક્ટ બીજા કયા નામથી પણ ઓળખાય છે ?
- DBTનું પૂરું નામ શું છે ?
- જી.એસ.ટી. કાઉન્સિલની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવે છે ?
- ગુજરાત પછાતવર્ગ વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
- વિશ્વધરોહર (World Heritage) સ્થળોને કઈ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે છે ?
- વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પામેલ ચાંપાનેર ઇ.સ. 1405માં કયા વંશની રાજધાની હતું ?
- કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
- ચિત્ર-વિચિત્ર મેળામાં મુખ્યત્વે કોણ ભાગ લે છે ?
- ‘માધવ ક્યાંય નથી’ નવલકથાના સર્જકનું નામ શું છે ?
- ભારતમાં રથયાત્રા વિક્રમસંવત મુજબ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
- રામનારાયણ વિ. પાઠકનું તખલ્લુસ શું છે ?
- સહસ્ત્રલિંગ તળાવ કોણે બંધાવ્યું હતું ?
- સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો ?
- ગુજરાત રાજ્ય માટે 12 માર્ચનું ઐતિહાસિક મહત્ત્વ શું છે ?
- ‘ગોવિંદ ગુરુ સ્મૃતિવન’ ક્યાં આવેલું છે ?
- વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનાનો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
- વાહન પ્રદૂષણ ઘટાડવા માટે ભારત સરકાર દ્વારા તાજેતરમાં કયું ધોરણ અપનાવવામાં આવેલ છે ?
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- મહેસાણામાં ONGCનો વિસ્તાર કેટલો છે ?
- દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાંભર, ચિંકારા, નીલગાય વગેરે મુખ્ય વન્યપ્રાણીઓ ગુજરાતના કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે ?
- રતનમહાલ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
- ક્લાઈમેટ ચેન્જ માટે GIM યોજનાનું પૂરું નામ આપો.
- નીચેનામાંથી કયું ઓઝોન સ્તર અવક્ષય માટે જવાબદાર છે ?
- અવકાશમાં જનારા પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા?
- ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે ?
- 2019થી વિશ્વ કયા રોગચાળાનો સામનો કરી રહ્યું છે ?
- કેન્દ્ર સરકાર દ્વારા ‘પી.એમ.એસ.એસ.વાય.યોજના’ હેઠળ પ્રથમ નવી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કયા શહેરમાં બનાવવામાં આવી છે ?
- કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં 108 સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો?
- રાષ્ટ્રીય આયુષ મિશન (એનએએમ) હેઠળ આયુષ દ્વારા શાળાઓમાં કયા આરોગ્ય કાર્યક્રમો કરવામાં આવે છે ?
- ખાદ્ય સુરક્ષાના નિયમન અને નિરીક્ષણ દ્વારા જાહેર આરોગ્યના રક્ષણ અને તેને પ્રોત્સાહન આપવા માટે કોણ જવાબદાર છે?
- ગુજરાત સરકાર દ્વારા ગરીબીરેખા નીચે જીવતા દર્દીઓને તબીબી સારવાર સાથે મદદરૂપ થવા નીચેનામાંથી કઈ સમિતીની સ્થાપના કરવામાં આવી છે ?
- શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળા આરોગ્ય કાર્યક્રમનો લાભ કોને મળશે ?
- દૂધમાં કયું વિટામિન હોતું નથી ?
- રક્તદાન માટે વજનની લઘુત્તમ મર્યાદા કેટલી છે?
- માંદગી અને ઈજાથી મુક્ત થવાની સ્થિતિને શું કહેવામાં આવે છે ?
- માનવ શરીરના કયા ભાગમાં પાયોરિયા રોગ થાય છે ?
- ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાના લાભાર્થી કોણ છે?
- ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક રોકાણ વિસ્તાર કયો છે?
- ભારતમાં મોટામાં મોટું ટેક્સટાઇલ માર્કેટ ક્યાં આવેલું છે ?
- કયા મંત્રાલય દ્વારા UDAN (ઉડે દેશ કા આમ આદમી) યોજના શરૂ કરવામાં આવેલ છે ?
- હાથશાળ મહિલા કારીગરને આપવામાં આવતા વિશિષ્ટ એવોર્ડનું નામ શું છે?
- આવાસ એકમો, ટ્રાવેલ એજન્ટ્સ, ટૂર ઓપરેટર્સ વગેરે જેવા હોસ્પિટાલિટી ક્ષેત્રનાં ઘટકોનો ડેટાબેઝ સપ્ટેમ્બર 2021માં શરૂ કરવામાં આવેલ કઈ યોજના અંતર્ગત જાળવી રાખવામાં આવશે ?
- NER અને સિક્કિમમાં MSMEના પ્રમોશન માટે કોણ અરજી કરી શકે છે ?
- નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે ?
- ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની ઓફિસ અમદાવાદ ખાતે કયા વિસ્તારમાં આવેલી છે ?
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડની ગો ગ્રીન યોજનાની શરૂઆત ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામા આવી હતી ?
- ભારત સરકારના ઇ-શ્રમ પોર્ટલ અન્વયે કયા રાજ્યએ સૌથી વધુ નોંધણી કરાવી છે ?
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ માનવગરિમા યોજના અંતર્ગત કુટુંબના કેટલાં વ્યક્તિઓને લાભ મળવા પાત્ર છે ?
- સ્થળાંતરિત શ્રમિકોનાં બાળકોનું શિક્ષણ અવરોધાય નહીં તે માટે શી જોગવાઈ કરવામાં આવેલ છે ?
- ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણેને થતી બીમારીઓમાં સહાય યોજના ‘ હેઠળ વ્યવસાયિક બીમારીથી પીડાતા બાંધકામ કામદારોને કયા પ્રકારની સહાય આપવામાં આવે છે ?
- ગુજરાત સરકારની યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે ઉપયોગી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન કઈ છે ?
- ‘કૌશલ ભારત કુશળ ભારત’ સૂત્ર નીચેનામાંથી કઈ યોજના સાથે સંકળાયેલું છે ?
- કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં લોકોને ભારત સરકારની કઈ યોજના હેઠળ સ્વદેશ લાવવામાં આવ્યા ?
- એક શ્રમિક એક વર્ષમાં કેટલી વખત સંપૂર્ણ શરીર તપાસ યોજનાનો લાભ મેળવી શકે છે ?
- વિધાન પરિષદના સભ્ય પોતાનું રાજીનામું કોને સુપરત કરે છે ?
- કયા વર્ષમાં બોમ્બે રાજ્યનું ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિભાજન થયું ?
- અખંડ ભારતની નીતિઓમાં મહાત્મા ગાંધીનું પ્રથમ સાહસ કયું હતું ?
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- 21મા કાયદાપંચની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
- નીચેનામાંથી કયો વિકલ્પ ભારતમાં નાણાકીય વર્ષ માટે સાચો છે ?
- ‘એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ્સ પ્રોગ્રામ’ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો?
- ગુજરાતનો કડાણા પ્રોજેક્ટ કઈ નદી પર છે ?
- દિલ્હી શહેરમાંથી વહેતી ગંગા નદીની ઉપનદીનું નામ શું છે ?
- નારાયણ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?
- ધરોઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે ?
- કયા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં ભૂગર્ભ ગટર જેવી માળખાકીય સુવિધા પૂરી પાડવામાં આવે છે ?
- દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજનાનો હેતુ શું છે ?
- ભારતમાં જન્મ કે મરણની નોંધણી કેટલા દિવસમાં કરાવવી ફરજિયાત છે ?
- ‘આત્મા ગામડાનો અને સુવિધા શહેરની’ આ મંત્ર કઈ યોજના સાથે જોડાયેલો છે ?
- કઈ યોજનાનો ઉદ્દેશ ગામડાઓને સ્વનિર્ભર, સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવવાનો છે?
- ગુજરાતમાં બી.પી.એલ સિવાયના કાચા આવાસ ધરાવતાં કુટુંબોને મકાન સહાય આપવા સરદાર આવાસ યોજના – 2 તરીકે પંચાયતી વિભાગના કયા વર્ષના ઠરાવથી અમલમાં આવી ?
- ગુજરાતમાં પાવનગામ યોજનાનો સમાવેશ તીર્થગામમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો?
- સરકાર દ્વારા નાગરિકોના અભિપ્રાય લેવા માટે કઈ યોજનાના ભાગરૂપે ‘મેરી સડક’ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે ?
- શર્મિષ્ઠા તળાવ ક્યાં આવેલું છે?
- ઝરવાણી ધોધ ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?
- માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની કઈ વેબસાઈટ વાહનોની નોંધણી અને ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે કામ કરે છે ?
- કયું પોર્ટલ સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ મંદિરોના તમામ પ્રસંગો, ઉત્સવો અને લાઇવ દર્શનને પ્રદર્શિત કરવાનો હેતુ ધરાવે છે?
- ગુજરાતમાં મોટા અંબાજી ખાતે કયા મહિનાની પૂનમે મેળો ભરાય છે ?
- બજરંગદાસબાપાએ કયાં સમાધિ લીધી હતી?
- ગુજરાતમાં મહાત્મા મંદિર ક્યાં આવેલું છે ?
- PMAY-G યોજના ક્યાં લાગુ પડે છે ?
- શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?
- ગોતા અને સોલા સાયન્સ સિટીને જોડતો ફ્લાયઓવર ક્યાં આવેલો છે ?
- ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટીચર એજ્યુકેશન’ ક્યાં આવેલી છે ?
- મહેસાણામાં કમલપથ રોડનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
- ‘ચેમ્પિયન’ નામનું ટેક્નોલોજી આધારિત પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યું છે ?
- પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) કયા વર્ષમાં શરૂ કરવામાં આવી હતી?
- ભારતના સૌપ્રથમ કમાન્ડર ઈન ચીફ સર સેનાપતિ કોણ હતા?
- આંતરરાષ્ટ્રીય કોર્ટના સૌપ્રથમ ન્યાયાધીશ કોણ હતા ?
- સૌપ્રથમ ભારતીય ટેસ્ટ ક્રિકેટના કેપ્ટન કોણ હતા?
- સરકારશ્રીની કઈ યોજના અંતર્ગત આદિવાસી લોકોનાં ઘરો સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે ?
- વર્ષ 2022ની IPL ક્રિકેટ સિરીઝની વિજેતા ટીમ કઈ છે ?
- ‘વિશ્વ હિન્દી દિવસ’ ક્યારે ઉજવવામાં આવે છે ?
- જે ગામડાઓમાં 108 એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી તેવા ગામડાઓમાં સગર્ભા માતાને સંસ્થામાં લઈ જવા માટે શું યોજના છે ?
- સગર્ભા માતાઓને ‘મિશન ઇન્દ્રધનુષ યોજના’ દ્વારા કઈ રસી આપવામાં આવે છે ?
- ‘કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના’માં પ્રવેશ કોની મારફતે મળે છે ?
- રસોઈ બનાવવા માટે વપરાતા હાનિકારક ઇંધણના કારણે મૃત્યુ પામતા લોકોના દરમાં ઘટાડો કરવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કઈ યોજના આરંભી ?
- માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ગુજરાતની પ્રથમ મહિલા જોડી કઇ છે ?
- સૌથી નાની વયના પ્રથમ કોમર્શિયલ ગુજરાતી મહિલા પાયલટ કોણ છે ?
- ગુજરાતની પ્રથમ મહિલા કોસ્ટગાર્ડ પાયલટ કોણ છે ?
- ગુજરાતની પ્રથમ મહિલા ટ્રેક અને ફિલ્ડ એથ્લીટ કોણ છે ?
- સ્કાયડાઇવિંગમાં લાઇસન્સ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી મહિલા કોણ છે ?
- ગુજરાતના પ્રથમ મહિલા નાટ્યવિદ કોણ છે ?
21 જુલાઈ કોલેજ ગુજરાતી માધ્યમ પ્રશ્ન બેંક
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- માઈક્રો-ઇરિગેશન સંબંધિત સંસ્થા કઈ છે ?
- કૃષિ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અને ખેડૂતોને નાનાં ગોડાઉન બનાવવા માટે સરકારશ્રીએ કઈ યોજના અમલમાં મૂકી છે ?
- ખેતીની જમીનમાં જિપ્સમ અથવા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ?
- આપત્તિનાં વર્ષોમાં વીમા કવચ પૂરું પાડીને અને કોઈપણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે કઈ યોજના છે ?
- ભારતમાં પ્રોફિલેક્ટિક રસીકરણ કાર્યક્રમોના અમલીકરણ દ્વારા પશુ આરોગ્ય ક્ષેત્રને સુધારવા માટે કઈ યોજના છે ?
- કોના મત મુજબ મધમાખી ઉછેર માત્ર મધમાંથી જ આવક મેળવતું નથી, પરંતુ મધમાખીનું મીણ પણ આવકનો ખૂબ મોટો સ્રોત છે ?
- ભારતના શિક્ષણ મંત્રાલયના વર્તમાન મંત્રી કોણ છે ?
- ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હેઠળ કઈ યોજનામાં મેડિકલ, એન્જિનિયરિંગના કોર્સના SEBCના વિદ્યાર્થીઓ ભોજન બિલ સહાય મેળવવા માટે અરજી કરી શકે છે ?
- 2022 સુધીમાં કેટલા વિદ્યાર્થીઓને શ્રેયસ યોજના હેઠળ આવરી લેવાની અપેક્ષા છે ?
- તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કેન્દ્રીય યુનિવર્સિટીના નવા કેમ્પસનો શિલાન્યાસ કયા શહેરની નજીક કરવામાં આવ્યો હતો ?
- ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે કેટલી રકમની લોન આપવામાં આવે છે ?
- ગુજરાતનાં પ્રથમ મહિલા કુલપતિનું નામ જણાવો.
- સમગ્ર ભારતમાં પ્રથમવાર ફરજિયાત કન્યા કેળવણી દાખલ કરનાર રાજ્ય કયું હતું ?
- ગુજરાત સરકાર દ્વારા હાથ ધરાયેલી ગ્રીન મોબિલીટી ઇનોવેશન ચેલેન્જનો હેતુ શો છે ?
- કુસુમ સ્કીમ ૨૦૨૨નો પ્રાથમિક ઉદ્દેશ શો છે?
- સ્લમ ઇલેક્ટ્રિફિકેશન સ્કીમ હેઠળ કયા વિસ્તારને લાભ મેળવવા પાત્ર છે ?
- દેશમાં પાઇપલાઇન્સ દ્વારા PNG કનેક્ટિવિટી પ્રદાન કરવામાં ગુજરાત કયા સ્થાને છે ?
- EEZનું પૂરું નામ શું છે ?
- રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?
- સીજીએસટી એક્ટ હેઠળ વસૂલવામાં આવતા વેરાના દરને કોણ સૂચિત કરે છે ?
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના કયા વયજૂથના લોકો માટે ઉપલબ્ધ છે ?
- જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનામાં પ્રોજેક્ટની ટોચમર્યાદા કેટલી છે ?
- પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં એક આંખ, હાથ કે પગ ગુમાવવા જેવી આંશિક વિકલાંગતાના કિસ્સામાં વારસદાર/નોમિનીને કેટલી રકમ મળવાપાત્ર છે ?
- અટલ પેન્શન યોજના અંતર્ગત લાભાર્થી 24 માસ સુધી પ્રીમિયમના ભરી શકે તો શું થાય છે ?
- GRCCનું પૂરું નામ શું છે ?
- સરદાર વલ્લભભાઈ પટેલની કઈ જન્મજયંતી પર ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું ?
- ગુજરાત સરકાર દ્વારા નોવેલ કોરોના વાયરસ (COVID-19)ના સંક્રમણને નિયંત્રણમાં લાવવાના ભાગરૂપે એપ્રિલ-2020 દરમિયાન NFSA તથા Non-NFSA APL-1 કાર્ડધારકોને વિનામૂલ્યે શેનું વિતરણ કરવામાં આવ્યું હતું ?
- નેશનલ ગેલેરી ઓફ મોડર્ન આર્ટ (NGMA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
- ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો વાર્ષિક ઉત્સવ (મોઢેરા નૃત્ય ઉત્સવ) ગુજરાતમાં દર વર્ષે ક્યા મહિનામાં યોજવામાં આવે છે ?
- મે-2014ની સ્થિતિએ માત્ર 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં NFSA-2013નું અમલીકરણ થતું હતું, જે મે-2018ની સ્થિતિએ વધીને કેટલું થયું છે ?
- ‘પુનિત વન’નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
- વન મહોત્સવ દરમ્યાન રોપ વિતરણ યોજના અંતર્ગત સીમાંત ખેડૂત અંગેનું પ્રમાણપત્ર રજૂ કર્યેથી રોપા દીઠ કેટલા પૈસા લેખે મહત્તમ 200 રોપાઓ વેચાણ કરવામાં આવે છે ?
- ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષવાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂના સાથે કયા ઉતારા આપવા પડે છે ?
- આદિવાસીઓ દ્વારા વૃક્ષ ખેતી યોજના અંતર્ગત પ્રતિ હેક્ટરે કેટલા રોપા વાવવાના થાય છે ?
- ભારતનું સૌથી મોટું મેંગ્રોવ જંગલ કયું છે ?
- વન વિભાગના સામાજિક વનીકરણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વન ઉછેર યોજનામાં વન વિભાગ પાંચ વર્ષની જાળવણી કર્યા બાદ રક્ષણ અર્થે પરત કોને સોંપે છે ?
- ભક્તિ વનનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું ?
- કયા વન્ય પ્રાણીની સંખ્યા ગણતરી માટે ગુજરાતના વન વિભાગ દ્વારા પૂનમ અવલોકન પદ્ધતિ હાથ ધરવામાં આવે છે ?
- વન વિભાગના ખાસ અંગભૂત યોજના અંતર્ગત ખાતા દ્વારા ઉછેર યોજનામાં કઈ જાતિના મજૂરો દ્વારા વન વિભાગની નર્સરી ઉછેરવામાં આવશે ?
- ગુજરાતમાં મેન્ગ્રોવની કેટલી પ્રજાતિઓ જોવા મળે છે ?
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- ભારતમાં કેટલા જાતના સસ્તન પ્રાણીઓ નોંધાયેલા છે ?
- ગુજરાત ગાથા અને યશગાથા ગુજરાતની ટેલિવિઝન શ્રેણીમાંથી જનતાને કેવા પ્રકારની માહિતી મળી શકે છે ?
- કલાઈમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
- પર્યાવરણ દિવસ -2019 થીમનું ગીત કયું હતું ?
- ભારત સરકાર દ્વારા 2017માં શૈક્ષણિક પરીક્ષામાં પારદર્શકતા જાળવવામાં કઈ અદ્યતન ટેકનોલોજી ધરાવતી સંસ્થાની સ્થાપના કરવામાં આવી ?
- શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન 1930માં જીનીવામાં થયું હતું, તેમની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમનાં અસ્થિ ભારત કયા વર્ષમાં લાવવામાં આવ્યાં હતાં ?
- ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ?
- ભારતની 2011ની વસતીગણતરી મુજબ સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતો કેન્દ્રશાસિત પ્રદેશ કયો હતો ?
- કયું ઓનલાઈન પ્લેટફોર્મ રક્ત કેન્દ્રો અને રક્તની ઉપલબ્ધતા વિશે માહિતી પ્રદાન કરે છે ?
- ૨૦૨૦ દરમિયાન ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિવારણ અને નિયંત્રણ માટે ભારત સરકાર દ્વારા કયા પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી?
- જનની સુરક્ષા યોજનાનો લાભ સ્ત્રીને ક્યાં સુધી મળી શકે ?
- નેશનલ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (NOTTO)નો હેતુ શો છે ?
- પૂર્ણા (PURNA) યોજના હેઠળ પૂર્ણા દિવસ ક્યારે ઉજવાય છે ?
- મહિલા ગર્ભ ધારણ કરે તે 270 દિવસ અને બાળકના જન્મથી 2 વર્ષ સુધીના 730 દિવસ, એટલે કે કુલ 1000 દિવસના સમયગાળાને શું કહેવાય છે ?
- કઈ સરકારી યોજના હેઠળ બાળરોગ ચિકિત્સક યોગ્ય નવજાત શિશુઓને જન્મસ્થળે તપાસે છે અને જન્મ સમયે રસીકરણ અને પોષણની સલાહ સહિત નવજાત શિશુઓની પ્રારંભિક સંભાળ પૂરી પાડે છે ?
- ગુજરાતમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ વેન્ટિલેટર, ઓક્સિજન બેડ અને અન્ય નિયમિત બેડની ઉપલબ્ધતાની ચકાસણી માટે સરકાર દ્વારા કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે ?
- આપેલ સમયગાળા માટે દેશની નિકાસ અને આયાતના મૂલ્ય વચ્ચેના તફાવત માટે કયા શબ્દનો ઉપયોગ થાય છે ?
- ક્રેડિટ ગેરંટી સ્કીમ ફોર માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ યોજનાની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
- નીચેનીમાંથી કઈ પ્રવૃત્તિઓ મુદ્રા લોન હેઠળ આવરી શકાય છે?
- નેશનલ એસસી-એસટી હબ યોજનાનો મુખ્ય ફાયદો શો છે?
- કઈ યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને સહકારી ક્ષેત્રમાં કામનો અનુભવ મેળવવા માટે ઇન્ટર્ન તરીકે લેવામાં આવે છે ?
- સેતુ ભારતમ પ્રોજેક્ટનો હેતુ શો છે ?
- E-SHRAM પોર્ટલ હેઠળ જ્યારે લાભાર્થી પોર્ટલ પર નોંધણી કરાવશે ત્યારે કેટલી રકમનું અકસ્માત વીમા કવચ મળશે ?
- ભારત સરકારની પ્રધાનમંત્રી દક્ષતા અને કુશલતા સંપન્ન હિતગ્રાહી યોજનાનો હેતુ શો છે ?
- રિહેબિલેશન ઓફ બોન્ડેડ લેબરર સ્કીમ -2021 મુજબ ભારત સરકાર દ્વારા પુનર્વસન માટે કેટલા ટકા ખર્ચનો ભાગ મળવાપાત્ર છે ?
- તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ સરકારી વિભાગોને મિશન મોડ અંતર્ગત કેટલી ભરતી કરવા માટેની સૂચના આપી છે ?
- ગુજરાત સરકાર શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચાલતી હોમ ટાઉન યોજનાનો લાભ પતિ-પત્નીના કિસ્સામાં કેટલી વ્યક્તિઓને મળશે ?
- ગુજરાત સરકારની મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજનામાં ક્યા પ્રકારની સંસ્થાના લાભાર્થીને સ્ટાઈપેંડ આપવામા આવે છે ?
- રાજ્યના યુવાનોને કૌશલ્યવાન બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા 2022થી કેટલા નવા ભવિષ્યલક્ષી કોર્સ શરૂ કરવાની જોગવાઈ કરવામાં આવી છે ?
- રાજ્યના મુખ્યમંત્રી કોના માટે જવાબદાર છે ?
- લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોના સમર્થનની જરૂર છે?
- કટોકટી ખતમ થયા પછી રાજ્યમાં કેટલા સમયમાં ચૂંટણી યોજવી જોઈએ ?
- કટોકટી ક્યાં જાહેર કરી શકાય ?
- ભારતમાં ચૂંટણીઓનું સંચાલન અને નિયમન કોણ કરે છે ?
- GST કેવા પ્રકારનો કર છે ?
- નીચેનામાંથી કઇ વસ્તુને GST બિલ હેઠળ આવરી લેવામાં આવતું નથી ?
- નીચેનામાંથી કઈ સેવાને GST બિલ હેઠળ મુક્તિ આપવામાં આવી છે ?
- જીએસટી બિલ હેઠળ નીચેનામાંથી કઇ વસ્તુને મુક્તિ આપવામાં આવી છે?
- ગરીબોને ઝૂંપડપટ્ટીની જગ્યાએ સારું રહેણાંક મળી રહે તે માટે સરકારશ્રીની નીચેનામાંથી કઇ યોજના અમલમાં છે ?
- નીચેનામાંથી કયું શહેર HRIDAY સ્કીમ હેઠળ સામેલ નથી ?
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
- દ્વીપકલ્પની સૌથી મોટી નદીનું નામ શું છે ?
- સરદાર સરોવર પ્રોજેક્ટના બાંધકામ પર દેખરેખ રાખવા માટે નર્મદા કંટ્રોલ ઓથોરિટી (NCA)ના સભ્ય કોણ છે ?
- ભારતમાં સૌથી પહેલી મહાનગરપાલિકાની રચના કયા શહેરમાં થઈ હતી ?
- વરસાદી પાણીના સંગ્રહનો હેતુ શો છે ?
- સ્વચ્છ ભારત મિશન અંતર્ગત લાભાર્થીઓને વ્યક્તિગત શૌચાલય માટે કેટલી આર્થિક સહાય મળે છે ?
- રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનનો હેતુ શો છે?
- નીચેનામાંથી 100% નળથી પાણી પુરવઠો પૂરો પાડતાં રાજ્યો કયા છે ?
- લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવીને મૂળભૂત નાગરિક સુવિધાઓ કઈ યોજના હેઠળ પૂરી પાડવામાં આવે છે ?
- ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા અનુક્રમે કેટલાં સભ્ય હોય છે ?
- ગુજરાતમાં સમાજની ગરીબ તથા વંચિત મહિલાઓ અને નબળા વર્ગના લોકોને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની તક કઈ યોજના અંતર્ગત રહેલી છે ?
- ગુજરાતમાં ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જમીનની માપણી અને કાનૂની માલિકી કાર્ડ (પ્રોપર્ટી કાર્ડ/શીર્ષક) વહેંચવાનું કરવાનું કામ કઈ યોજના અંતર્ગત થાય છે?
- ગુજરાતમાં 5000ની વસ્તી ધરાવતી મહિલા સમરસ ગ્રામ પંચાયતને પ્રથમ વાર કેટલા રૂપિયાનું અનુદાન સમરસ ગ્રામ પંચાયત યોજના હેઠળ આપવામાં આવે છે ?
- ગુજરાતમાં બેટ દ્વારકા પ્રોજેક્ટમાં પાણીની અંદર જોવાની ગેલેરી અને રેસ્ટોરન્ટ એ કેવા પ્રકારનું પ્રવાસન છે ?
- ભારતમાં અન્ય હાઇ-સ્પીડ કોરિડોરના ભાવિ વિકાસ માટે કઈ સંસ્થા કરોડરજ્જુ તરીકે કામ કરશે?
- ઘોઘા બંદર અને દક્ષિણ ગુજરાતના દહેજ બંદર વચ્ચે દરિયાઇ માર્ગે માલસામાનની હેર ફેર માટે કઇ ફેરી સર્વિસ શરૂ થઇ ?
- ભારતીય રેલ્વે વિભાગે ભગવાન રામના અસ્તિત્વ સાથે જોડાયેલ તમામ મહત્વપૂર્ણ સ્થળોને જોડતી કઈ ટ્રેન શરૂ કરી?
- GSRTC બસોના મોનિટરિંગ માટે જીપીએસ/પીઆઈએસ આધારિત બસ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ દાખલ કરનાર દેશમાં પ્રથમ સંસ્થા કઈ છે ?
- સાગરમાલા કાર્યક્રમ હેઠળ ઓળખાયેલ પ્રોજેક્ટના અમલીકરણ માટે ભારત સરકાર દ્વારા કઈ સંસ્થાની રચના કરવામાં આવી હતી ?
- NHAI એ કયા હાઇવે પર 2,580 મીટરનો ફોર લેન હાઇવે માટે પેવમેન્ટ ક્વોલિટી કોંક્રીટ 24 કલાકમાં કરવાવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?
- સાબરમતી રિવરફ્રન્ટ કઈ બાબત માટે લોકપ્રિય છે ?
- ગ્રામીણ વિસ્તારોમાં પંડિત દીનદયાલ આવાસ યોજના માટેના લાભાર્થીની વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ?
- દ્વારકા જિલ્લામાં કયાં બે સ્થળો વચ્ચે કેબલ-સ્ટેઇડ આઇકોનિક પુલ બનાવવામાં આવશે ?
- કેબલ બ્રિજ ગુજરાતના કયા શહેરમાં બાંધવામાં આવ્યો છે ?
- કમલ પથ રોડ મહેસાણામાં કયા બે રસ્તાઓને જોડે છે ?
- ધોરણ 9માં અભ્યાસ કરતી એસ.સી. (અનુસૂચિત જાતિ) કેટેગરીની વિદ્યાર્થિનીઓ માટે સરસ્વતી સાધના યોજના હેઠળ શું આપવામા આવે છે ?
- વયો નમન યોજના કયા દિવસે લાગુ કરવામાં આવી છે ?
- દેશમાં બાળક દત્તક લેવા અને નિયંત્રણ માટે કઈ એજન્સી કામ કરે છે ?
- કઈ યોજનાનો હેતુ લિંગ ભેદભાવ અને પૂર્વગ્રહોને દૂર કરીને સમાવેશી લાભો આપવાનો છે ?
- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ મહત્તમ 1 વર્ષમાં કેટલી રકમ જમા કરી શકાય છે ?
- વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY)નો લાભ મેળવવા ઓછામાં ઓછા કેટલા પર્સનટાઈલ હોવા જરૂરી છે ?
- શાળા યુનિફોર્મની ત્રણ જોડીના કેટલા રૂપિયા બેંક ખાતામાં જમા કરાવવામાં આવે છે ?
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ ફેલોશિપ યોજનાનો લાભ લેવા માટે કયા પોર્ટલ પર અરજી કરવાની હોય છે?
- પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ કઈ કન્યાઓ માટે છે?
- છત્રપતિ શાહુજી મહારાજ ઇનામી યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કઈ કચેરી મારફત ભરાવવામાં આવે છે ?
- ફ્રી શીપ કાર્ડ યોજનાનું અમલીકરણ કરતી સંસ્થા કઇ છે ?
- અનુસૂચિત જાતિ કલ્યાણ હસ્તકની IIM/NIFT/CEPT/NLU પરીક્ષાના તાલીમ વર્ગો માટે નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીને ધોરણ 10માં કેટલા માર્ક આવેલ હોવા જોઈએ ?
- દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લા માટે કઈ પાણી પુરવઠા યોજના કાર્યરત છે?
- સ્ટાર્ટ-અપ ઇન્ડિયામાં એકવાર રજિસ્ટ્રેશન થઇ ગયા પછી લાભાર્થીએ ક્યાં પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે ?
- સુરતના ઉમરપાડામાં કઈ જગ્યાએ ૬૦ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે?
- સખી યોજના’માં લાભ મેળવવા માટેની આવક મર્યાદા કેટલી છે ?
- મહિલા ઉદ્યોગ સાહસિકોને ટેકો આપવા માટે મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ ઓનલાઇન પ્લેટફોર્મનું નામ આપો.
- વિદ્યાસાધના યોજનાનું અમલીકરણ કરતી કચેરી કઈ છે ?
- જનની સુરક્ષા યોજનાનો લાભ લેવા માટે કયો પુરાવો રજૂ કરવાનો આવે છે ?
- દીકરી યોજના અંતર્ગત જે કુટુંબમાં દીકરો ન હોય અને ફક્ત એક દીકરી હોય તેવા દંપતીને કેટલી રકમ સહાયરૂપે આપવામાં આવે છે ?
- રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ દ્વિતીય સ્થાને વિજેતા બનનાર મહિલા ખેલાડીઓને વાર્ષિક કેટલી રકમ પુરસ્કારરૂપે આપવામાં આવે છે ?
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022
ઓનલાઈન પ્રશ્ન જોવા માટે | અહિયાં ક્લિક કરો |
ક્વિઝ આપવા માટે | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ પર જવા | અહિયાં ક્લિક કરો |
21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022, 21 જુલાઈના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022