અમને ફોલો કરો Follow Now

Weight Loss Tips: વજન ઘટાડવા માટે ઉપયોગી ટિપ્સ

Weight Loss Tips: હાલના બેઠાળા જીવન વચ્ચે લોકોમાં સૈથી મોટી સમસ્યા હોય તો એ છે વજનમાં વધારો. લોકોનું હાલનું જીવન બેઠાળુ જીવન છે એટલે શરીરમાં ચરબી વધતી જાય છે. વજન વધારા માટે ખાણી-પીણી પણ એટલી જ જવાબદાર છે.

Weight Loss Tips

વજન વધ્યા બાદ લોકો વજન ઘટાડવા ઘણા બધા ઉપાયો કરતા હોય છે અમુક ઉપાયો સફળ પણ રહેતા પણ કરતા હોય છે. ચાલો આજે આ લેખમાં આપડે વજન ઘટાડવા કે નિયંત્રણ રાખવા અંગેની તમામ માહિતીની ચર્ચા આ લેખમાં કરીએ.

Weight Loss Tips
Weight Loss Tips

વજન ઘટાડવા માટે ઉપયોગી ટિપ્સ

હાલમાં માર્કેટમાં વજન ઘટાડવા માટે ટિપ્સો ઉપલબ્ધ છે. આપડે આજ ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીએ જે તમારા વજન વધારો કરે છે.

બહારનું ખાવાનું ટાળો

વજન વધવા પાછળનું માટે સૌથી મોટું કારણ છે બહારનું અનહેલ્ધી ખાણી-પીણી, શક્ય હોય ત્યાં સુધી બહારનું ખાવાનું ટાળવું જોઈએ. બહાર ખાવાનું થાય ત્યારે હેલ્ધી જ ખાવાનું રાખવું. તળેલી વસ્તુઓ ખાવામાં ઘટાડો કરવો જોઈએ.

બપોર અને સાંજના ભોજન વચ્ચે હળવો નાસ્તો કરો

બપોરના ભોજન અને રાત્રીના ભોજન વચ્ચેનો ગાળો લાંબો હોય છે તેથી આ બંને વચ્ચેના સમયમાં હળવો નાસ્તો કરવો. જો તમે આ સમયમાં નાસ્તો નહી કરો તો સાંજે તમને ભૂખ વધુ લાગશે અને વધારે જમાય જશે જેના કારણે તમારો વધારે વજન વધશે. જમ્યા પછી ચાલવાનું રાખો.

ખોરાકની આદત બદલો

વજન વધી જાય છે ત્યારે લોકો ડાયટ પ્લાન ફોલો કરવા લાગે છે અને કસરત પણ વધુ કરવા લાગે છે પરંતુ જો લોકો ખોરાક સબંધિત આદત પહેલા બદલવાની જરૂર છે. જેનાથી તમારો વજન ઘટાડો કરવામાં ખુબ જ ઉપયોગી નીવડે છે.

પ્લેટનો ઉપયોગ કરો

એક સંશોધન મુજબ લોકો પોતાની પ્લેટમાં હોય છે તે બધું ખાતા હોય છે. જો તમે મોટી પ્લેટ હશે તો તે પ્રમાણે વસ્તુ લેશો તેથી નાની પ્લેટમાં ઓછી વસ્તુ આવશે અને બીજી વાર લેવાનું પણ ટાળવું જોઈએ. નાની પ્લેટમાં જમવાનું શરૂ કરશો એટલે ધીમે ધીમે જમવાનું ઓછુ થતું રહેશે અને વજન ઘટાડવા ખુબ જ ઉપયોગી થશે.

ચાલવાનું રાખો

જો તમે રોજના 10,000 ડગલા ચાલી શકો તેમ ન હોય તો 5,000 ડગલા ઝડપભેર ચાલી શકો. તેનાથી તમારા સ્વાસ્થ્ય પણ સુધરશે. જમ્યા બાદ ચાલવાથી ખોરાક પાચનમાં પણ મદદ થશે જે તમારા વજન ઘટાડવામાં મદદરૂપ બનશે.

Weight Loss Tips / વજન ઘટાડવા ટિપ્સ
  • સવારે ઊઠીને ચાલવા જાઓ અને વ્યાયામ કરો.
  • સૂવાના 2 કલાક પહેલા ભોજન કરી લો.
  • રાતે સામાન્ય અને હળવો તથા ઝડપથી પચે તેવો ખોરાક લો,
  • સંતુલિત અને ઓછા વસાયુક્ત ભોજન લો.
  • વજન ઘટાડવા માટે આહાર યોજનામાં પોષક તત્વોને સામેલ કરો.

વજન ઘટાડવા માટે લોકો અનેક નુસખા અપનાવતા હોય છે. વજન ઘટાડવા માટે ખાસ તો ખોરાકમાં ધ્યાન રાખવું જોઈએ અને વધારે ચરબી વાળા ખોરાક ન ખાવા જોઈએ. વજન ઘટાડવા માટે ખાસ તો નિયમિત કસરત કરવી જોઈએ.

નોંધ: Weight Loss Tips માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી એક્સપર્ટની મદદ અવશ્ય લ્યો.

Leave a Comment