ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

PM Garib Kalyan Anna Yojana: નવેમ્બર 2023 મહિનામાં કેટલું અનાજ મળશે

PM Garib Kalyan Anna Yojana: રાજ્ય સરકાર દ્વારા :રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના કાયદા – ૨૦૧૩” (NFSA) હેઠળ સમાવિષ્ટ ૭૨ લાખથી વધુ રેશનકાર્ડ ધારક કુટુંબોની 3.54 કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત નવેમ્બર 2023 માસના ઘઉં, ચોખાના વિના વિતરણની જાણકારી.

  • વિનામૂલ્યે / રાહતદરના અનાજ વિતરણની જાણકારી
  • 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ
  • તારીખ 01-11-2023 થી 30-11-2023 સુધી વિતરણ

PM Garib Kalyan Anna Yojana

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 72 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે / રાહતદરના અનાજ વિતરણની માહિતી મેળવો. નવેમ્બર મહિનો 2023માં મળવાપાત્ર તમામ અનાજના જથ્થાની વિગતો આ લેખમાં આપડે વાત કરીએ.

PM Garib Kalyan Anna Yojana | પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના
PM Garib Kalyan Anna Yojana | પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

નવેમ્બર 2023 માસના ઘઉં, ચોખાના વિનામૂલ્યે વિતરણની જાણકારી

અનાજકેટેગરીમળવાપાત્રભાવ
ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા.વિનામૂલ્યે
ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા.વિનામૂલ્યે
ચોખાઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.વિનામૂલ્યે

વિશેષ નોંધ: જે તે જીલ્લાની વાજબી ભાવની દુકાન પર ઓક્ટોબર 2023 માસનો બચત રહેલ બાજરી / જુવાર જથ્થોનું વેચાણ પૂર્ણ થયા બાદ બાજરી / જુવારની અવેજીમાં ઘઉંનો જથ્થો મેળવી શકશે.

રાજ્ય સરકારની ચણા, મીઠું તથા ખાંડ રાહત દરના વિતરણ સંબંધિત યોજનાની અગત્યની જાણકારી

આવશ્યક ચીજવસ્તુકેટેગરીમળવાપાત્ર જથ્થોભાવ પ્રતિ કિ.ગ્રા. રૂપિયા
ચણાN.F.S.A. રેશનકાર્ડ ધારકો (અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબો)કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30
ડબલ ફોર્ટીફાઈડ સોલ્ટ (મીઠું)તમામ N.F.S.A. કુટુંબો અને બીપીએલ કુટુંબોકાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1
ખાંડઅંત્યોદય કુટુંબો3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.
3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.
15
ખાંડબીપીએલ કુટુંબોવ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.22

વન નેશન, વન રેશનકાર્ડ યોજના

દેશના અન્ય રાજ્યોના તેમજ ગુજરાતના કોઇપણ ગામ કે શહેરમાંથી N.F.S.A. રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધો-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઇપણ ગામ કે શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાનેથી પોતાના હાથના અંગુઠા / આંગળીનો ઉપયોગી કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરીને વિનામૂલ્યે અનાજ (ઘઉં અને ચોખા) મળવી શકાશે.

“My Ration” મોબાઈલ એપ્લિકેશન

દરેક લાભાર્થીને “My Ration” મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ખાસ વિનંતી છે. આ એપ્લીકેશનથી આપને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો, વિતરણ ભાવ, મેળવેલ જથ્થો, ઓનલાઈન રિસિપ્ટની વિગતો મેળવી શકશો. કોઈ પણ લાભાર્થી પોતાને મળવાપાત્ર અનાજના જથ્થાની વિગતો www.ipds.gujarat.gov.in પોર્ટલ પરથી “તમને “મળવાપાત્ર જથ્થા” પર ક્લિક કરીને, રેશનકાર્ડ નંબર દાખલ કરીને જાણી શકો છો.

લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઈન નંબર 1800-233-5500, 1967, 14445 તેમજ “My Ration” મોબાઈલ એપ્લીકેશન દ્વારા નોંધાવી શકશે.

તમને મળવાપત્ર જથ્થો જાણોઅહીં ક્લિક કરો
માયઓજસઅપડેટ હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ