ગુગલ ન્યુઝ અમને ફોલો કરો અહીં ક્લિક કરો
         

સિગ્નેચર બ્રીજ: PM MODI ના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજની 92 કામગીરી પૂર્ણ

સિગ્નેચર બ્રીજ: કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના ઓખા-બેટ દ્વારકા વચ્ચે નિર્માણધીન સિગ્નેચર બ્રિજની કામગીરી 92 ટકા પૂર્ણ થઇ ગઈ છે. ઓખા થી બેટ દ્વારકા વચ્ચેનો સિગ્નેચર બ્રીજ વડાપ્રધાન નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ
ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ

સિગ્નેચર બ્રીજ

બેટ દ્વારકા એ હિંદુ ધર્મના પ્રમુખ તીર્થસ્થાન હોવાની સાથે સાથે ભૌગલીક રીતે ટાપુ પર આવેલ તીર્થસ્થાન હોય ત્યાં જ્યાં દરરોજ હજારો તીર્થયાત્રીઓ આવતા હોય છે અહીં પહોંચવા માટે ઓખા-બેટ દ્વારકા વચ્ચે હાલ ફેરીબોટ ઉપલબ્ધ છે. હાલમાં નિર્માણધીન સિગ્નેચર બ્રીજ બન્યા બાદ દર્શનાર્થીઓ રોડમાર્ગે બેટ દ્વારકા જઈ શકશે.

રાજ્યના પ્રવાસનની દૃષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. તેમાંથી એક છે આ ઓખાથી બેટદ્વારકાને જોડતો ‘સિગ્નેચર બ્રીજ’, જે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે.

ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજ

ઓખાથી બેટદ્વારકા જવા માટે અત્યારે ફેરીબોટની મદદથી જવું પડે છે, પરંતુ હવે રૂ. 978 કરોડના ખર્ચે આ ‘સિગ્નેચર બ્રીજ’ બનવા જઇ રહ્યો છે, ત્યારે સૌ કોઈ ગુજરાતવાસી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે, ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઇના આ બ્રીજનું નિર્માણ ચાલી રહ્યું છે, જેના માટે દરિયાઇ બાર્જ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભાં કરવામાં આવ્યાં છે. માર્ચ 2018માં કામગીરી શરૂ થઇ ત્યારથી આજ દિન સુધીમાં આ બ્રીજની 92 ટકા ભૌતિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. ઓક્ટોબર 2023ના અંત સુધીમાં આ બ્રીજ પૂર્ણ થાય તેવી તૈયારી છે.

સિગ્નેચર બ્રિજની વિશેષતાઓ

  • બ્રીજની લંબાઇની વાત કરીએ તો 2320 મીટર રહેશે, જેમા 900 મીટર કેબલ સ્ટેયડ ભાગ રહેશે.
  • ઓખા અને બેટ દ્વારકા બન્ને બાજુ થઇ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવશે.
  • બ્રીજના મુખ્ય ગાળાની લંબાઇ 500 મીટર છે જે ભારત દેશમા સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે.
  • વાહનો પાર્ક કરવા માટે ઓખા તરફ પાર્કિંગ બનાવામાં આવશે.
  • બ્રીજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે.
  • આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બન્ને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવશે.
  • ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી 1 મેગાવોટ વિજળી નું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગ માટે કરવામાં આવશે. વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે.
  • બ્રીજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુ ગેલેરીનું આયોજન કરવામાં આવેલ છે.
  • બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરવામાં આવશે.

Leave a Comment

એવોકાડોના ફાયદાઓ / Benefits of Avocado મીઠું ખાવાથી થતું નુકશાન | Side Effect of Salt ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા લીમડાના પાનના ફાયદાઓ | દેશી દવા છે લીમડાના પાન Kiwi ખાવાના અદભુત ફાયદા | Benefits of Kiwi
આમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ