લાલબાગચા રાજા લાઈવ દર્શન 2022

લાલબાગચા રાજા એ મુંબઈનું સૌથી લોકપ્રિય જાહેર ગણેશ મંડળ છે. લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળની સ્થાપના વર્ષ 1934માં કરવામાં આવી હતી જે મુંબઈના લાલબાગ, પરેલમાં આવેલ છે. આ ગણેશ મંડળ 10 દિવસીય ઉજવણી દરમિયાન લાખો લોકો દર્શને આવે છે. આ પ્રખ્યાત ગણપતિને ઈચ્છાઓ પૂર્ણ કરનાર ગણપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દર વર્ષે દર્શન કરવા માટે લગભગ 5 કિલોમીટરની લાંબી કતારો લાગે છે. લાલબાગની ગણેશજીની મૂર્તિનું વિસર્જન દસમાં દિવસે કરવામાં આવે છે. લાલબાગમાં સ્થાપિત ભગવાન ગણેશજીની મૂર્તિ જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે અને આ ભક્તો કેટલાય કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે.

મુંબઈમાં ગણેશ ઉત્સવ દરમિયાન બધાની નજર પ્રખ્યાત “લાલબાગના રાજા” પર હોય છે. બોલીવૂડની ફિલ્મી સેલિબ્રીટીથી લઈને પોલિટીકસના લોકોનો પણ દર્શન કરવા માટે જમાવડો હોય છે. લોકો ભગવાન ગણેશજીની પૂંજા કરે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય એવા આશીર્વાદ લે છે.