અમને ફોલો કરો Follow Now

વિશ્વ આદિવાસી દિવસ 2023 : તાપીના ગુણસદા ગામ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે

વિશ્વ આદિવાસી દિવસ 2023: ગૌરવવંતી સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા અને તેમની પરંપરાઓને ટકાવી રાખવા દર વર્ષે 9 ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિવસ’ તરીકે ઉજવાય છે.

વિશ્વ આદિવાસી દિવસ 2023

આ અવસર એટલે કે વિશ્વ આદિવાસી દિવસ 2023 ની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ આદિવાસી દિવસ અંતર્ગત રાજ્યમાં આદિજાતિ વસતી ધરાવતા 14 જિલ્લાના વિવિધ સ્થળો ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

વિશ્વ આદિવાસી દિવસ 2023
વિશ્વ આદિવાસી દિવસ 2023

જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ 2023 ની રાજ્ય કક્ષાની ઉજવણી તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસદા ગામ ખાતે કરવામાં આવશે. તાપી જિલ્લામાં થનારી આ રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડીંડોર અને રાજ્યમંત્રી કુંવરજી હળપતિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસને લઈને સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવશે. નવસારીમાં આ દિવસે સમગ્ર આદિવાસી સમાજ અને રાજકીય આગેવાનોની હાજરીમાં બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.

ડાંગના મુખ્ય મથક આહવા ખાતે નાણાંમંત્રી કનુ દેસાઈ, છોટા ઉદેપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, નર્મદાના ડેડીયાપાડામાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ, ભરૂચના ઝઘડીયામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા, નવસારીના ગણદેવીમાં પ્રવાસન મંત્રી મુળુ બેરા, બનાસકાંઠાના દાંતામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ દાહોદના લીમખેડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ ઉજવાશે.

વલસાડના કપરાડા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, નર્મદાના નાંદોદમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, દાહોદ ખાતે પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડ, વલસાડના ધરમપુરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરીયા, નવસારીના વાંસદામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, પંચમહાલના મોરવા-હડફમાં પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમ સોલંકી તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર ઉજવશે આદિવાસી દિવસ. આ સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે સાંસદ અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી માહિતીની સત્યતા તપાસો

Leave a Comment