વિશ્વ પોલિયો દિવસ: દર વર્ષની જેમ આજે એટલે કે 24 ઓક્ટોબરના રોજ વર્લ્ડ પોલિયો દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે લોકોને પોલિયો જેવા રોગો વિશે માહિતી આપી અને જાગ્રતતા લાવવાનો છે.
વિશ્વ પોલિયો દિવસ 2023
દર વર્ષે 24 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતો દિવસ એટલે વર્લ્ડ પોલિયો ડે. પોલિયો એ ચેપી રોગ છે જે પોલિયોમેલિટીસને કારણે થતો રોગ છે. ભારત સરકારે દેશવ્યાપી પોલિયો નાબૂદ કાર્યક્રમ જાહેર કરવા માટે દેશમાં રાષ્ટ્રીય પોલિયો દિવસની શરૂઆત કરી. ત્રણ વર્ષ સુધી શૂન્ય કેસ નોંધાયા બાદ જાન્યુઆરી 2014માં ભારત પોલિયો મુક્ત બન્યું.
વિશ્વ પોલિયો દિવસ દર વર્ષે 24 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. પોલિયો એ પોલિયો વાયરસથી થતો અત્યંત ચેપી રોગ છે. ખૂબ જ દુર્લભ હોવા છતાં, વાયરસ મગજના તે ભાગો પર હુમલો કરી શકે છે જે તમને શ્વાસ લેવામાં મદદ કરે છે, જે મૃત્યુ તરફ દોરી શકે છે. પોલિયોનો કોઈ ઈલાજ નથી, પરંતુ તેને રસીકરણથી અટકાવી શકાય છે
આ દિવસે વિશ્વભરની સંસ્થાઓ, જેમ કે રોટરી ઇન્ટરનેશનલ, ડબ્લ્યુએચઓ, યુનિસેફ વગેરે પોલિયો વાયરસ સામેની વૈશ્વિક લડતમાં સામેલ વ્યક્તિઓ અને સંસ્થાઓ અને વાયરસને નાબૂદ કરવાના તેમના પ્રયાસોની ઉજવણી કરે છે.
પોલિયો કેવી રીતે ફેલાય છે?
- ટોયલેટ ગયા પછી હાથ બરાબર ન ધોવા
- ગંદા પાણીથી પીવું અથવા રાંધવું
- ચેપગ્રસ્ત વ્યક્તિના થૂંક, લાળ અથવા મળના સંપર્કમાં આવવું
- ગંદા પાણીમાં તરવાથી
- ગંદા ખોરાક ખાવાથી
નોંધ: આ માહિતી અમને વિવિધ માધ્યમ દ્વારા પ્રાપ્ત થયેલ છે તેથી એક્સપર્ટની સલાહ અવશ્ય લેવી.