સમરસ છાત્રાલય પ્રવેશ 2024 : કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છાતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://smaras.gujarat.gov.in વેબસાઈટ પર તારીખ 27-05-2024 (સવારે 11:00 કલાક) થી તારીખ 20-06-2024 (રાત્રે 11:59 કલાક) સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25
સરકારી સંસ્થાનું નામ | ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી |
છાત્રાલયનું નામ | Samras Hostel Admission 2024-25 |
જિલ્લો | અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ગાંધીનગર |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20-06-2024 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://samras.gujarat.gov.in/ |
![સમરસ છાત્રાલય પ્રવેશ 2024-25](https://www.myojasupdate.net/wp-content/uploads/2024/05/સમરસ-છાત્રાલયમાં-પ્રવેશ-2024-25-1024x647.jpg)
Samras Hostel Admission 2024-25
કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે Samras Hostel Admission 2024.
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે
સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષા અભ્યાસક્રમમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારી આધારે યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધ : વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ)
સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ ફરજીયાત પણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના રીન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમણે ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સીટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI Semester Performance Index) 55% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ 1 ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે.
ગ્રુપ 1 મેડીકલ અને તેના સમકક્ષ અભ્યાસક્રમના રીન્યુઅલ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવા અરજી કરી શકશે પરંતુ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ (ફ્રેશ) માટે સંસ્થા / કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેથી અલગ થી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે.
વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહી. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટ ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો / વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે.
સમરસ છાત્રાલય જે જીલ્લામાં આવેલ છે તે જ જીલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે. જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલમાં “Withdraw Application”ની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે. જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈપણ સુધારા વધારા કરી શકાશે નહી.
સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે જેનો સંપૂર્ણ અભ્યાસક્રમ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સબંધિત જીલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.
ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી ક્રરી શકશે.
જાહેરાત જુઓ | અહીં ક્લિક કરો |
માયઓજસઅપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |